અમરેલી

અમરેલી ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટિમ દ્વારા જિલ્લા ની ૫૧ શાળામાં ઔષધિય બાગ બનાવવામાં આવશે

અમરેલી ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટિમ દ્વારા જિલ્લા ની ૫૧  શાળા માં ઔષધિય બાગ બનાવવા માં આવશે.અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક કલામ સાહેબ ની વિચારધારા ને આગળ  વધારવા  માટે ના સુંદર કાર્યો કરી રહી છે.જાણીતા મોટીવેશનલ સ્પીકર અને તેમની ટીમ નો પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ સામે આવ્યો છે.કોરોના ની મહામારી વચ્ચે ની બીજી લહેર માં કેવલભાઈ અને તેમની ટીમ દ્વારા ૫૫૦૦૦  ઔષધિય વૃક્ષો ની નર્સરી  બેહરા મૂંગા સ્કૂલ ખાતે તૈયાર  કરવામાં આવી છે.તાઉતે વાવાઝોડાની તારાજી થી  અહીં ની શાળાઓ માં વૃક્ષો નું નીકનંદન નીકળી  ગયું છે ત્યારે કેવલભાઈ  અને તેમની ટીમ  દ્વારા પ્રકૃતિ ની આરાધના કરવા માટે ની આ પહેલ  ખુબ આવકરવા દાયક છે.વૃક્ષો એ પૃથ્વી  ના ફેફસા તરીકે  કાર્ય કરે  છે  અને ૨૧ મી સદી માં વૃક્ષો નું ખુબ મહત્વ છે ત્યારે ૫૧ શાળાઓ માં ઔષધિય  બાગ બનાવવા  માટે ની પહેલ ખુબ મહત્વપૂર્ણ છે.

કલામ સાહેબ ના ૨૦૨૦ ના સ્વપ્ન ના ભારત ના નિર્માણ માટે ના દસઆયામો પૈકી પર્યાવરણ  નું સરક્ષણ પણ એક મહત્વપૂર્ણ આયામ છે.કલામ સાહેબ બાળકો ને પર્યાવરણ મિત્ર બનવા માટે પ્રેરિત કરતા ત્યારે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની આ પહેલ થી  બાળકો અને યુવાનો પણ પર્યાવરણ મિત્ર બની પ્રકૃતિ ની આરાધના માં જોડાઈ તેવો આશાવાદ  કેવલભાઈ અને તેમની ટિમ ના યુવાનો દ્વારા વ્યક્ત કરવા માં આવ્યો હતો.આ નર્સરી ના ઉછેર માં ઉમંગભાઈ જોશી, પ્રીતિશભાઇ પંડ્યા, ભાર્ગવ ખત્રી, રાકેશભાઈ અને શનિભાઈ દ્વારા ખુબ અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે.સાથે અમરેલી નું ઘરેણું એવી બેહરા મૂંગા શાળા ના ટ્રસ્ટીશ્રીઓ અને સ્થાનિક વ્યવસ્થાપક રઘુભાઇ ભટ્ટ નો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.વિદ્યાર્થીઓ અને યુવાનો અને લોકો પણ પર્યાવરણ સરક્ષણ ક્ષેત્રે આગળ આવી અને રાષ્ટ્ર્રહિત માં પોતાનું યોગદાન આપવા માટે આગળ આવે તેવો અનુરોધ ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટિમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટિમ દ્વારા  કરવામાં આવી રહેલી આ  સરાહનીય પહેલ માટે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેમની સરાહના કરવામાં આવી રહી છેતેવું જી.જી.બેન. ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ના આચાર્ય રોહિત ભાઈ મેહતા ની યાદી માં જણાવવા માં આવ્યું છે

Related Posts