અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વન મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લાનાં દરેક તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ યુવા મંડળ અથવા મહિલામંડળ દ્વારા વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ કરી અને ઉજવવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ્ય લેવલનાં યુવામંડળો, મહિલામંડળો તથા સ્વયંસેવી સંસ્થાઓને સોપવામાં આવી હતી.
યુવા કેન્દ્રના અધિકારીએ આ તકે જણાવ્યું હતું કે પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઇમેન્ટ ચેન્જથી બચાવવા માટે વૃક્ષો ખુબ જ જરૂરી છે. આના માટે વધુમાં વધુ વૃક્ષો વાવી ઉછેરવામાં આવેતો આ શક્ય બને તેમ છે. વૃક્ષો વાવવા માટે યુવાઓએ આગળ આવવા તેમણે હાકલ કરી હતી.
નહેરુ યુવા કેન્દ્રના તાલુકા મથકની કચેરીઓના ફિલ્ડ ઓફિસરશ્રીઓએ બગસરા, બાબરા, અમરેલી, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લાઠી, ધારી અને કુંકાવાવમાં ગ્રામ્ય કક્ષાએ યુવામંડળો અથવા મહિલામંડળ દ્વારા વૃક્ષારોપણ કરાવી તેને ઉછેરવાની જવાબદારીઓ સોપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં વન વિભાગ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવેલા અંદાજે ૨૦૦ થી વધુ રોપાઓ ઉગાડવામાં આવેલ હતા.
Recent Comments