માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ અમરેલીમાં તા.14/9ને મંગળવારના રોજ ભભવેલકમ ડેભભ અને ભભહિન્દી દિવસભભ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનો મંગલ પ્રારંભ એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની અઘ્યારૂ ઘ્વનિએ ભરત નાટયમ દ્વારા ગણેશ સ્તુતિથી પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સિ. ચુડાસમાએ પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું શબ્દોથી સ્વાગત કરી કોલેજના અઘ્યાપકોનો તેમજ ઓફિસ સ્ટાફનો પરિચય કરાવ્યો હતો અને હિન્દી દિવસના મહત્વ વિશે વકતવ્ય આપ્યું હતું. વકતવ્ય બાદ એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું અને શબ્દોથી સ્વાગત શુકલ વૈભવીએ કર્યું હતું. આ પ્રસંગે એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ હેલ્લારો ફિલ્મનો સુંદર ગરબો પ્રસ્તુત કર્યો હતો. એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓને આવકારવા ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓ ગોહિલ બિંતલ અને ખણેસા તૃપ્તિએ રાજસ્થાની ઘુમ્મર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ અવસરે એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની દલ આશિયાનાએગુરૂના મહત્વ વિશે સુંદર અને પ્રેરક ગીત પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ હિન્દી દિવસના મહત્વ અંગે બારૈયા ભૂમિ, ગોંડલીયા કૃષ્ના અને પઠાણ સુહાનાએ પોતાનું વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસંગે એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ સમૂહમાં સુંદર હિન્દી ગીત પ્રસ્તુત કર્યું હતું. અને પઠાણ સુહાને હિન્દી ગીત પ્રસ્તુત કર્યું હતું. બાદ ડો. બિંદુબેને વિદ્યાર્થીનીઓને હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની પરમાર ઉર્મિલાએ પિતાને સ્નેહ વિશે સુંદર શાયરી પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીની જેઠવા મિરાલીએ આધુનિક હિન્દી સાહિત્યના જનક ભારતેન્દુ હરિશ્ચંદ્રનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ડો. વિલાસબેન સોરઠીયાએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પ્રા. વેલિયતે હિન્દીના વિવિધ માઘ્યમો જેવા કે ઈન્ટરનેટ, ફિલ્મ, ટી.વી. સિરિયલ, વિજ્ઞાપન, અનુવાદ વગેરે દ્વારા હિન્દીના વિકાસ અને રોજગાર મેળવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે કોલેજના પૂર્વ અને સ્વર્ગીય પ્રિન્સિપાલ એન.કે. ત્રિવેદી, સ્વ. ડો. એન.ટી. સાઠે, સ્વ. માતુશ્રી મોંઘીબા, દાતા ટ્રસ્ટી સ્વ. લક્ષ્મીદાસભાઈ સંઘવી તેમજ સ્વ. જયેશભાઈ શાહના અને પુર્વ પ્રિન્સિપાલ ડો. સેન મેડમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સમગ્રકાર્યક્રમનું આયોજન ડો. વિલાસબેન, પ્રા. સવિતાબેન, પ્રા. કોમલબેન અને ડો. બિન્દુબેને કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓ ગોહેલ બિંતલ અને ખણેસા તૃપ્તિએ કર્યું હતું અને આભાર દર્શન પ્રા. વેલિયતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓનો ઉતમ સહયોગ પ્રાપ્ત થયો હતો.
Recent Comments