અમરેલી-મહુવા-ગારીયાધાર વિસ્તારના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની આજે જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે અમરેલીની શિક્ષીત અને સમજુ જનતાને સંબોધન કર્તા જણાવ્યુ કે અમરેલી જિલ્લા પર પછાતનું લેબલ લાગે છે તેનું મને ખુબ દુઃ ખ થાય છે. ત્યારે અમરેલી જિલ્લાને વિકસીત બનાવવા માટે સૌથી મહત્વનું પાયાનું કાર્ય છે. તે શિક્ષણ છે. ગાયકવાડી રાજનીચે આવતા અમરેલી જિલ્લામાં રાજાશાહી વખતમાં ફરજીયાત મફત શિક્ષણનો અધિકાર હતી ત્યારે અમરેલી,મહુવા,ગારીયાધાર,જેસર વિસ્તારના એક પણ ગામડામાં પ્રાથમિક શાળા માં શિક્ષકોની અછત ન રહે અને જુની પુરાની સ્કુલનું નવીનીકરણ થાય અને આધુનિક મોડેલ સ્કુલ બનાવવા માટે મારા પ્રયત્નો રહેશે આ ઉપરાંત હાઈસ્કુલ થી કોલેજ,એન્જીન્યરીંગ,મેડીકલ,ફાર્મસી,એરોનેટીક,રાજુલાના દરીયા કાઠે શિપીંગ એન્જીન્યરીંગ કોલેજ, શરૂ કરવા માટે મારી સરકારમાં રજુઆત રહેશે અને જો કોઈ સંસ્થા તેમાં આગળ આવશે તો તેમાં મારો સહકાર રહેશે.
અમરેલી જિલ્લામાં પાણીની અછતના કારણે ઉદ્યોગો આવતા નથી માટે રાજય અને કેન્દ્ર સરકાર પાસે અમરેલીના ઔદ્યોગીક હેતુ માટે પાણીની વ્યવસ્થા કરવાની મારી હંમેશા માંગણી રહેશે.
અમરેલી શહેર અને જિલ્લામાં લાખો નોકરીયાત લોકો છે તેમને જુની પેન્શન સ્કિમ મુજબ પેન્શનની માંગણી કરી રહૃાા છે તે લડતને મારો સંપૂર્ણ ટેકો રહેશે આ ઉપરાંત હોમગાર્ડ ને દૈનિક રૂા.૭૦૦ અને જી.આર.ડી.ને રૂ.પ૦૦ દૈનિક મહેનતાણું મળે અને તેમને કાયમી નોકરીનો દરજો આપવામાં આવે તેવી મારી માંગણી રહેશે. વિધવા અને વૃઘ્ધ પેન્શનની મર્યાદા પ૦૦ અને ૧ હજારથી વધારીને રૂા.રપ૦૦ કરવામાં આવે તેવી મારી માંગણી છે. અમરેલી -ચલાલા-ધારીનું ગેજ પરિવર્તન થાય અને બ્રોડગેજની મંજુર મળે તે માટે મારી સતત રજુઆત રહેશે. અને અમરેલી શહેર ઉંપરાતં લાઠી-દામનગર-લીલીયા-સાવરકુંડલા-મહુવા વિસ્તારમાંથી લાંબા અંતરની પેસેન્જર ટ્રેન મળે તેમજ અયોઘ્યા,કાશી,મથુરા અને ચારધામ યાત્રા ધામની અહિંયાથી દૈનિક ટ્રેન મળે અમરેલી જિલ્લાની ઘણી નગર પાલિકાના કર્મચારીઓને નિયમીત પગારનો પ્રશ્ન છે તે પ્રશ્ને તુરંત કાર્યવાહી થશે તેવા મારા પ્રયત્નો રહેશે.
કોંગ્રેસે બનાવેલા ડેમોને બાદ કરતા ભાજપ સરકારે એક પણ ડેમ બનાવ્યો નથી ત્યારે અમરેલીના બાબાપુર પાસે સાતલડી ડેમની ત્રણ ત્રણ વખત જાહેરાત રાજય સરકારે કરી છે છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ ડેમ તાત્કાલીક બને તે માટે રાજય સરકાર પાસે અમારી કાયમી રજુઆત રહશે.
અમરેલી જિલ્લાને પ્રવાસ ઉદ્યોગનો લાભ મળે તે માટે ભુરખીયા,ધારી,તુલશીશ્યામ સહિતના પ્રવાસન સ્થળોનો રોડ ફોર લાઈન બને તેવી અમારી માંગણી છે. અને તે માટે હું પ્રયત્નશીલ રહીશઅમરેલી જિલ્લામાં રેડીયોના શોખીનો માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી વિવિધ ભારતી રેડીયો ચેનલ પુનઃ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
મારી અમરેલીની બહેનો ખુબ મહેનતુ છે. ત્યારે તેમેન વધુમાં વધુ ગૃહ ઉદ્યોગ મારફત રોજગારી મળે તેવી મારા પ્રયત્નો રહેશે.અમરેલી જિલ્લાના રોડ-રસ્તા અને પુલીયાના પ્રશ્નોનો સત્વરે નિકાલ આવશે તે માટે સતત મારી રજુઆતો રહેશે.અમરેલી એસે.ટી.ડેપો ચાર વર્ષથી ગોકળ ગતી બની રહૃાો છે. તેનું કામપુરૂ થઈ ચૂકયુ છે. અને તેમાં દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર શરૂ કર્યા છે. ત્યારે એસ.ટી.વિભાગ તાત્કાલીક અસરથી એસ.ટી. ડેપો ચાલુ કરે તેવી મારી માંગણી છે.
અમરેલી જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે તે માટે મારા પ્રયત્નો રહેશે. અને ખેડૂતોને કપાસ અને અન્ય ખેત પેદાસોના ભાવ એમ.એસ.પી. પ્રમાણે મણે તે માટે રાહુલ ગાંધીએ કરેલી ગેરંટીની જાહેરાતને મારૂ સંપૂર્ણ સમર્થન છે.
આ તકે ઉપસ્થિત ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્નીકજીએ આધુનિક ભારતના નિમાર્ણ અને મોંઘવારી અને બેરોજગારી થી પીડાતા લોકોને કોંગ્રેસનો મેનીફેસ્ટોની ગેરંટી વાંચી સંભળાવી હતી જેંમાં તેમણે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો યુવાનો માટે કેન્દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.
રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્જયુએટ અને ડીપ્લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે. તે પુનઃ જુની પઘ્ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપરલીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે જણસના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનુંની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતોનું બિયાર,દવા અને ખેતીના સંશાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સમાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્યાય :આર્થિક અને જાતીગત જન સંખ્યા ગણના થશે.જલ-જંગલ-જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીત બહુમતિ વાળા વિસ્તારોમાં અધસિુચિત થાશે તેમ તેમણે જણાવ્યુ હતુ.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે લોકોને ગેસનો બાટલો અને ટુ વ્હીલ અને ફોર વ્હીલની પેટ્રોલ-ડીઝલની ટાંકીને જોઈ અને આપની આજુ-બાજુમાં રહેલ શિક્ષીત બે રોજગારની પરિસ્થિત જોઈ અને મતદાન કરવા અપીલ કરી હતી.આ તકે વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યુ હતુ કે મોદી સરકારે પ ઉદ્યોગ પતિઓના ૧પ લાખ કરોડ માફ કર્યા છે. ત્યારે દેશનો ખેડૂતો પોતાની માંગણીઓ માટે આંદોલનો કરવા પડે છે. કેન્દ્રમાં સરકાર આવશે એટલે પહેલી કેબીનેટમાં ખેડૂતોના દેવુ માફ કરશે સાથે જણાવ્યુ કે વેકસીન બનાવતી કંપનીની લંડન કોર્ટમાં કબુલાત પછી સાહેબના સર્ટીફીકેટ પરથી ફોટા ગાયબ કરી દેવામાં આવ્યા છે.
આ તકે અન્ય આગેવાનોમાં મૂળશંકર તેરૈયા, મુઝફર હુસેન સૈયદ, સંદીપભાઈ ધાનાણી, સંદીપભાઈ પંડ્યા, નગરપાલિકા સદસ્ય પ્રકાશભાઈ, પ્રહલાદ સોલંકી, સમીર કુરેશી રાજુભાઈ બીલખીયા, અશોકભાઈ ચાવડા ચલાળા,પૂર્વ રફિકભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારુ, જમાલભાઈ મોગલ, અરવિંદભાઈ સીતાપરા, ખોડાભાઈ માળીયા નીતિનભાઈ ત્રિવેદી ભીખાભાઈ દેવાણી વિજયભાઈ ગોગતીયા બહાદુરભાઇ બેરા રમેશભાઈ પરમાર જીવરાજભાઈ પરમાર, આમ આદમી પાર્ટીના સુખાભાઈ વાળા, જૈનિશભાઈ ગોઢાવદર ,ભરતભાઈ લાડોલા મુન્નાભાઈ જુઠાણી, સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
Recent Comments