અમરેલી

અમરેલી રોજગાર કચેરી ખાતે ૧૦ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે

રોજગાર ઈચ્છુકોએ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે

અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર મળે તેવા હેતુથી ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૦ થી ૧૨ પાસની લાયકાત ધરાવનાર આસી.બ્રાંચ મેનેજર તથા બ્રાંચ મેનેજરની જગ્યા પર એઇમ લીમીટેડ ભાવનગર ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી,સી- બ્લોક,બહુમાળી ભવન-અમરેલી ખાતે તા.૧૦/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન  જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલ સેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts