અમરેલી રોજગાર ખાતા દ્વારા ૧૮ થી ૩૦ વર્ષની વય મર્યાદા તેમજ ધોરણ-૧૨ પાસ રોજગાર ઇચ્છુકો માટે એલ.આઈ.સી.એજન્ટની જગ્યા પર એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયા અમરેલી ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી,સી- બ્લોક,બહુમાળી ભવન-અમરેલી ખાતે તા.૨૪/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
અમરેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે ૨૪ માર્ચના ભરતીમેળો યોજાશે


















Recent Comments