અમરેલી

અમરેલી વિદ્યાસભા ખાતે સ્વામી નિત્યસુધ્ધાનંદજી ની નિશ્રા માં બાળ વાંચન શિબિર યોજાઇ

અમરેલી આઝાદીનો અમૃત મહોત્સવ જીલ્લા સમિતિ દ્વારા જીવરાજ મહેતા સ્થાપિત વિદ્યા સભા,અમરેલી  ખાતે  બાલ વાંચન શિબિર યોજાઈ જેનું ઉદ્દઘાટન  આય  કેન્દ્રના  *નિત્યસુધ્ધાનંદ* સ્વામિની નિશ્રા માં  વિદ્યાસભા ના કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ 
આ  પ્રસંગે   વિદ્યાસભા ના કમિટી મેબ્બર ગોવિંદભાઈ ગોંડલિયા અને   આઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ બાળકો ને વાર્તા તેમજ  ગીત  થી બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત કરાવેલ અને નિત્યસુધાનંદ સ્વામી એ બાળકો ને રાષ્ટ્ર માટે યોગદાન આપવા આહવાન કરેલ  આઝાદી ના અમૃત  મહોત્સવ નિમિત્તે યોજાનાર પ્રશ્ન મંચ માં  બાળકો ને ભાગ લેવા  ઇતેશભાઈ મહેતા એ અનુરોધ કરેલ આ તકે લાખાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનું સંચાલન  કવિ કનુભાઈ લીબાસિયા અને  મહેમાનોનો  પરિચય  મહેન્દ્રભાઈએ  જોશી કરેલ અને અંત માં આભારવિધિ અમૃત મહોત્સવ સમિતિ ના  મંત્રી પ્રવીણભાઈ કથીરીયા કરેલ.

Related Posts