અમરેલી

અમરેલી શહેરના રામભકતોમાં આનંદની હેલી. અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં આવેલ પોૈરાણીક રામજીમંદિરની આજુબાજુ બ્લોક પેવીંગ રોડ બનાવવાના કામે રૂા. ર,૧૧,૦૦૦/– ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી

અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં પોૈરાણીક શ્રી રામચંદ્રજીનું મંદિર આવેલ છે, આ જગ્યા ઉપર ધામિક કાર્યક્રમ, કીર્તન, ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે,આ જગ્યાની બાજુમાં ખુબ જ ગંદકી છે જે ગંદકી હટાવી આ જગ્યાએ બ્લોક પેવીંગ રોડ કરવાની ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી શહેરના રામભકતોએ અમરેલીના યુવા ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી., આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં પોૈરાણીક રામચંદ્રજીનું મંદિરેે બ્લોક પેવીંગ રોડ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલી શહેરના રામભકતોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Related Posts