જયભારત સાથ ઉપરોકત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે, અમરેલી શહેરના મુખ્ય માર્ગ એવા ચકકરગઢ રોડ પર આવેલ સરદાર ચોકથી હીરામોતી ચોક અને ત્યાથી ભીડભંજન મહાદેવ સુધીનો રોડ હાલમાં ખુબ જ બિસ્માર હાલતમાં હોય, ચોમાસાની સીઝન દરમ્યાન અહીંયા ખુબ જ પાણી ભરાતુ હોય અહીંયાથી નાના વાહનો તથા મોટા વાહનો તથા રાહદારીઓની અવરજવર રહેતી હોય તેમજ અહીંયા વેપારી લોકો પણ ખુબ જ વધારે હોઈ જેથી અહીંયા પાણી ભરાતા હોઇ તેઓના ધંધા-રોજગારમાં પણ ખુબ જ પરેશાની થતી હોય અને અહીંયા પસાર થતા લોકો વચ્ચે અકસ્માત થતા હોય જેથી આ રોડ તાત્કાલીકના ધોરણે બનાવવાની ખુબ જ જરૂરીયાત છે. જો આ રોડનું કામ તાત્કાલીક દિવસ-૭ માં રીપેરીંગ અથવા ડામર રોડનું કામ શરૂ નહીં થાય તો વિપક્ષ તરીકે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.
અમરેલી શહેરમાં સરદાર ચોકથી હિરામોતી ચોક તેમજ ભીડભંજન મહાદેવ મંદિર સુધીના રોડ વ્યવસ્થિત બનાવવા બાબત : વિરોધપક્ષના ઉપનેતા

Recent Comments