સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.14/01/2024 નાં રોજ અમરેલી શહેર ભાજપ બક્ષીપંચ મોરચો મહામંત્રી નાથુભાઈ એન. ધાધલ નાં સહ પરિવાર ને ગાયત્રી યજ્ઞમા બેસવાનો લાભ મળ્યો અને યજ્ઞ વિધી કરવામાં આવેલ. (ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી હરેશભાઈ પંડ્યા એ ગાયત્રી યજ્ઞ કરાવ્યો) સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ હતો તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.
અમરેલી શહેર ભાજપ બક્ષીપચ મોરચાના મહામત્રી શ્રી નાથુભાઈ એન.ધાધલ પરિવાર સહિત સારહિ તપોવન આશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞ સપન્ન

Recent Comments