આમ તો સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર હમેશા ઉત્કંઠાનું કેન્દ્ર રહ્યું છે અહીં વસવાટ કરતી મનોરોગી બહેનોની જીવનશૈલી અને તેની સંભાળ એ પણ એક પડકારજનક કાર્ય છે અને માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ એ સુપેરે સસ્નેહ નિભાવી રહ્યા છે . આમ તો મનોરોગી બહેનોની પણ એક અલગ દુનિયા હોય છે . એને સમજવા માટે એનાં જીવનમાં પણ ઊંડુ ઉતરવું પડે . કચારેક કોઈ આઘાત તો કચારેક કોઈ અણધારી ઘટના પણ કોઈ પણ વ્યક્તિને માનસિક અસમતુલા તરફ દોરી જતી હોય છે. આ તમામ બાબતો ચિંતન, મનન અને અભ્યાસનો ગહન વિષય છે , જેને થોડું ઘણું સમજવા માટે પણ ખૂબ ધીરજ શાંતિ અને સાહજિકતાની આવશ્યકતા રહે છે. અમરેલી સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઓ આ માનવમંદિરની શુભેચ્છા મુલાકાત પધારેલ . જો કે આ તકે તેઓએ મનોરોગી બહેનોની રહેણીકરણી તથા જીવનપદ્ધતિનો અભ્યાસ કરવાની પણ થોડી ઘણી તક તો જરૂર મળી હશે .
અમરેલી સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માનવ મંદિરની શુભેચ્છા મુલાકાતે

Recent Comments