અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પહોળો કરવા માટેની યોજનામાં ઓળિયા ગામના ખેડુતોની ખેતરોની જમીન કપાત થવાનાં સંદર્ભે ખેડૂતોમાં આક્રોશ હોય એ સ્વાભાવિક છે. ખાસકરીને આ ઓળિયા ગામમાંથી પસાર થતો મહુવા જેતપુર નેશનલ હાઈવે માર્ગ પહોળો થશે. પરંતુ આ પહોળા રસ્તાની યોજનામાં માર્ગ એલાયમેન્ટ સંદભે કપાત થતી ખેતરોની જમીન એ ખેડૂતોને માટે ચિંતાનો વિષય છે. આમ ગણીએ તો ખેડૂતો માટે ખેતીની જમીન એટલે પ્રાણથી પણ વ્હાલી હોય છે આજીવિકાનું માધ્યમ હોય એ સ્વાભાવિક છે કે ખેડૂતોના જીવની જેમ જતન થતી ખેતીવિષયક જમીનનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ અને સમજી વિચારીને કરવો જોઈએ.
જો કે સમગ્ર બાબત ટેકનીકલ હોય છે. પરંતુ શક્ય હોય તો આ કપાત થતી જમીનનો કોઈ વચગાળાનો માર્ગ કાઢવા તંત્ર દ્વારા પણ સતર્કતાથી પ્રયાસ થવા જોઈએ.. આખરે વિકાસનો અંતિમ અર્થ તો જનતાનું કલ્યાણ જ હોવુ જોઈએ. અને વળી ભારતદેશની સંકલ્પની ખેતીપ્રધાન દેશ તરીકે થતી હોય તો ખેડૂતોના હિતનો પણ ખૂબ ગંભીરતાથી વિચાર થવો જોઈએ. કોઈ પણ સમસ્યા એટલી જટિલ ન થવી જોઇએ કે તેનો કોઈ હલ ન નીકળે એ સૂત્રને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય થાય એવી ખેડૂતોની માંગ સંદર્ભે યોગ્ય સકારાત્મક અભિગમ આવશ્યક છે..
Recent Comments