અમરેલી ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલનું સંચાલન છેલ્લા ૪ વર્ષથી શાંતાબા ગજેરા ટ્રસ્ટને ગુજરાત સરકાર તરફથી સોંપવામાં આવેલ છે, જયારે આ ખાનગી ટ્રસ્ટે સરકારી સિવિલ હોસ્પિટલનું સંચાલન સંભાળીયું છે ત્યાર થી જ કંઈક ને કંઈક બાબતમાં વિવાદમાં આવેલ છે. તાજેતર માં જ ર માસ પૂર્વે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં અંદાજે રપ ગરીબ પરીવારના વ્યકિતઓએ આંખના મોતીયા માટેનું ઓપરેશન આ હોસ્પિટલમાં કરાવેલ હતું, જેમાં મેનેજમેન્ટની ઘોર બેદરકારીના હિસાબે ઘણાં વ્યકિતઓએ પોતાની આંખની દષ્ટી ગુમાવવાનો વારો આવ્યો છે,પરિણામે તેવા વ્યકિતઓને મેનેજમેન્ટની બેદરકારીને લીધે આજીવન અંધાપો આવ્યો છે, જેમાં અમુક વ્યકિત એવા હતા કે તેના પરીવારનું ગુજરાન સંપૂર્ણ તેના ઉપર ચાલતુ હતું, હવે આંખનો અંધાપો આવવાથી તેવા વ્યકિતને ઘરમાં કમાવવા વાળું કોઈ ન હોવાથી પોતાના પરીવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, તો તત્કાલ ગુજરાત સરકાર આ શાંતાબા ગજેરા
ટ્રસ્ટને આ મોતીયાકાંડમાં અંધાપાનો ભોગ બન્યા છે તેવા પ્રત્યેક વ્યકિતને શાંતાબા ગજેરા ટ્રસ્ટ તરફથી ૧૦.૦૦ લાખ રૂપિયા વળતર ચુકવવાની માંગણી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી કરી છે.
આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં મોટા ભાગની દવાઓ દર્દીઓને બહાર થી ખરીદી કરવી પડે છે, અને આવી દવાઓ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ દ્વારા સરકારમાંથી પુરતા પ્રમાણમાં મંગાવવામાં આવતી નથી, પરીણામે ગરીબ પરીવારોને ડોકટરોએ લખી દીધેલ દવાઓ ફરજીયાતપણે બહારથી લેવી પડે છે, જેને લીધે ગરીબ પરીવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ જેટલો જ ખર્ચ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં થઈ જાય છે.
આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી અઠવાડીયે માત્ર એક વખત અને ૧ કલાક જ કરવામાં આવે છે. જેને લીધે હોસ્પિટલમાં આવતા દર્દીઓને સોનોગ્રાફી કરાવવા માટે બહાર પ્રાઈવેટ સોનોગ્રાફી સેન્ટરે જવું પડે છે, અને જેની મોટી રકમ ચુકવવા માટે દર્દીઓને બીજા પાસેથી ઉછીના પૈસા શોધવા માટે ઉભી બજારે ચડવું પડે છે, જો આ પરિસ્થિતનું નિર્માણ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં થતું હોય તો આમાં ગરીબ દર્દીઓને મફત સારવાર કંઈ રીતે મળે ? તેવો વેદ્યક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં જો કેન્દ્રના કેબિનેટ આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાત રાજયના કેબિનેટ આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ દ્રારા સરપ્રાઈઝ અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો ઘણાં ડોકટરો માત્રને માત્ર કાગળ ઉપર જ સેવા આપી રહયા છે.ઘણી વખત સામાન્ય સારવાર
માટે પણ ડોકટરો હાજરમાં ન હોવાથી ગરીબ પરીવારના દર્દીઓને રાજકોટ કે ભાવનગર બિન જરૂરી રીતે રીફર કરવામાં આવે છે.
જેનો ખર્ચ ગરીબ પરીવારને પરવડતો નથી.તો સત્વરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલને તટસ્થ તપાસ કરી અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments