બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી સતત બેડ રેસ્ટ પર છે. જ્યારથી બિગ બી તેમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના સેટ પર ઘાયલ થયા છે. ત્યારથી તે સતત આરામ પર છે. જાેકે, વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે, તે સ્વસ્થ થઈ રહ્યા છે. પરંતુ હવે જાે લેટેસ્ટ માહિતી પર વિશ્વાસ કરવામાં આવે તો તેને સ્વસ્થ થવામાં વધુ સમય લાગશે. દરમિયાન, અમિતાભ બચ્ચને તેમના ચાહકો માટે તેમનો નવો બ્લોગ શેર કર્યો છે. અમિતાભ બચ્ચને સોમવારે પોતાના બ્લોગ પર ધૂમ્રપાન અને દારૂ છોડવાની વાત કરી હતી. તેણે શેર કર્યું કે, કેવી રીતે તેના પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન, તેના ક્લાસના મિત્રો દારૂ પીવા માટે સાયન્સ લેબમાં ભેગા થયા. જે બાદ તે ખૂબ જ બીમાર પડી ગયા હતા.
અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, આ દુર્ઘટના બાદ તેમને ખૂબ જ નાની ઉંમરમાં જીવનનો એક મોટો પાઠ શીખવા મળ્યો. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ધૂમ્રપાન પર પોતાનો અભિપ્રાય રજૂ કરી ચૂક્યા છે. તેણે અગાઉ ધૂમ્રપાન વિશે એક પોસ્ટ પણ શેર કરી હતી. બિગ બી સ્વસ્થ થતાં જ ફરી પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ઈજા બાદ અમિતાભ બચ્ચને પણ પોતાના ફેન્સને મળવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં, બિગ બી દર રવિવારે જલસામાંથી તેમના ફેન્સને મળવા આવતા હતા. ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ સિવાય અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ છે.
Recent Comments