અભિનેતા અરશદ વારસી આગામી ફિલ્મમાં ઉત્તર ભારતમાં રહેનારા વ્યકિતનો રોલ નિભાવી રહ્યો છે. બંદાસિંહ નામની આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. અભિષેક સકસેના નિર્દેશીત આ ફિલ્મમાં અરશદ વારસી અને મેહર વીજ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. અરશદ આ ફિલ્મમાં તદ્દન અલગ જ અવતારમાં જાેવા મળવાનો છે. બંદાસિંહ અને તેના પરિવારની આ કહાની છે. ફિલ્મનું લેખન શાહિદ ઇકબાલે કર્યુ છે. પટકથા તેણે અને અભિષેકે સાથે મળી લખી છે. ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જવાની તૈયારીમાં છે. અરશદે કહ્યું હતું કે મેં સ્ક્રિપ્ટ વાંચતા જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. મને વિશ્વાસ છે કે બધાને આ ફિલ્મ સાથે પ્રેમ થઇ જશે. મેહર વિજે કહ્યું હતું કે આ સ્ક્રિપ્ટ હૃદયસ્પર્શી બની ગઇ છે. હું ભાગ્યશાળી છું કે મને શાનદાર ભુમિકા નિભાવવાની તક મળી. અરશદ અત્યાર સુધી રોમાન્ટીક, કોમેડી સહિતના રોલમાં જાેવા મળ્યો છે. અહિ તે તદ્દન અલગ ભુમિકા નિભાવી રહ્યો છે.
અરશદ વારસી નવી ફિલ્મનું શુટીંગ શરૂ કરશે

Recent Comments