જ્યારે છૈંસ્ૈંસ્નો મુંબઈ ચલો કાફલો રાજધાની પહોંચ્યો ત્યારે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો, જયારે મુંબઈ પહોંચી ત્યારે પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રામગિરિ મહારાજ અને બીજેપી નેતા નીતિશ રાણે વિરુદ્ધ કાર્યવાહીની માગણીનો મુદ્દો જાેર પકડતો જાેવા મળી રહ્યો છે. સોમવારે, અસુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળ છૈંસ્ૈંસ્ એ ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) થી મુંબઈ સુધી શક્તિ પ્રદર્શનમાં ત્રિરંગા સાથે બંધારણ રેલી કાઢી હતી. ઔરંગાબાદના પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ અલી અને વારિસ પઠાણ જેવા નેતાઓની આગેવાનીમાં યાત્રામાં મોટી ભીડ એકઠી થઈ હતી.
જ્યારે રેલી મુંબઈ પહોંચી ત્યારે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગત ૧૧ સપ્ટેમ્બરે ઈમ્તિયાઝ અલીએ ૨૩ સપ્ટેમ્બરે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મુંબઈ જશે અને મહાયુતિ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બંધારણની નકલો અર્પણ કરશે.જાે કે, જ્યારે છૈંસ્ૈંસ્નો મુંબઈ ચલો કાફલો રાજધાની પહોંચ્યો ત્યારે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ પછી ટ્રાફિકની સ્થિતિ વણસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લાખ જેટલા મુસ્લિમ કાર્યકરો રેલીમાં હોવાનું જાણવા મળે છે છૈંસ્ૈંસ્ના મુંબઈ ચલો કૂચમાં ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્ના નેતાઓએ સોમવારે મુંબઈ ચલો.. ના નારા આપ્યા અને આ નારા લગાવ્યા બાદ મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાંથી કાફલો મુંબઈ તરફ રવાના થયો. સૂત્રોચ્ચાર કરતા છૈંસ્ૈંસ્ના નેતાઓ મુંબઈ તરફ આગળ વધ્યા.
કેટલાક બાઇક પર ગયા હતા અને કેટલાક કારની છત પર સવાર હતા. વીડિયો રિલીઝ થવા લાગ્યા. પાર્ટીના નેતા ઈમ્તિયાઝ જલીલ આ માર્ચનું નેતળત્વ કરી રહ્યા હતા. ઈમ્તિયાઝ જલીલના વીડિયો શેરીઓમાં વાયરલ થતા મુંબઈમાં હાજર વારિસ પઠાણે મોરચો ખોલ્યો હતો. રેલી મુંબઈ પહોંચ્યા બાદ રસ્તાઓ પર ભારે ભીડ જાેવા મળી હતી અને ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. અસુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના છૈંસ્ૈંસ્ નેતા રામગીરી મહારાજ અને મ્ત્નઁ નેતા નીતિશ રાણે મુસ્લિમોને નિશાન બનાવતી કથિત ટિપ્પણીઓથી નારાજ છે.
મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રામગીરી મહારાજ અને નિતેશ રાણેના નિવેદનનો મુદ્દો જાેર પકડતો જાેવા મળી રહ્યો છે. ૧ સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોપખાના વિસ્તારમાં ભાજપ નેતા નીતિશ રાણે દ્વારા રામગીરી મહારાજના સમર્થનમાં આયોજિત જાહેર સભાઓ બાદ વિવાદ વકર્યો છે. છૈંસ્ૈંસ્નો આરોપ છે કે રામગીરી મહારાજે કથિત રીતે ઈસ્લામ અને નેફેટ મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે છૈંસ્ૈંસ્ની માંગ છે કે નિતેશ રાણે સિવાય હિન્દુ સંત રામગીરી મહારાજ સામે કાર્યવાહી કરવામાં આવે ઇમ્તિયાઝ જલીલની માગણી છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે લઘુમતીઓ વિરુદ્ધ અપમાનજનક વાત કરનારા બીજેપી નેતા નીતિશ રાણે વિરુદ્ધ કાર્યવાહી કરે. આ ઉપરાંત જલીલ હિન્દુ સંત રામગીરી મહારાજ સામે પણ કાર્યવાહી કરવા માંગે છે.
જલીલનો આરોપ છે કે તેણે તાજેતરમાં ઈસ્લામ અને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. મહારાષ્ટ્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીતીશ રાણે વિરુદ્ધ મુસ્લિમોને નિશાન બનાવીને નિવેદન આપવા બદલ અનેક કેસ નોંધાયા છે. મુંબઈ ચલો માર્ચનો કાફલો રાજધાની પહોંચ્યો ત્યારે રસ્તાઓ પર જામ થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકની સ્થિતિ કથળી હતી. આ કૂચમાં તેઓએ પોતાના વાહનોમાં ત્રિરંગા ઝંડા લગાવ્યા હતા. અસુદ્દીન ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્ પહેલાથી જ રામ ગિરી મહારાજ અને રાણે સામે મોરચો ખોલી ચુકી છે. તો બીજી તરફ તાજેતરમાં જ નીતીશ રાણેએ શુક્રવારે સંગોલીમાં એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસકર્મીઓને વધુ નહીં પરંતુ માત્ર ૨૪ કલાકની રજા આપવી જાેઈએ. આ પછી અમે (હિંદુઓ) અમારી તાકાત બતાવીશું. અમે તેમને અહેસાસ કરાવીશું કે અમારી પાસે કેટલી તાકાત છે. નીતિશ રાણેના આ નિવેદનનો હવે ઓલ-ઈન્ડિયા-મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (છૈંસ્ૈંસ્)ના નેતા વારિસ પઠાણે બદલો લીધો હતો. આ પછી મામલો ખૂબ જ ગરમાયો હતો. પઠાણે આરોપ લગાવ્યો હતો કે ભડકાઉ ભાષણ પછી પણ મહારાષ્ટ્ર સરકાર પગલાં લેવા માંગતી નથી. પઠાણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેણે બંગડીઓ પહેરી નથી.
Recent Comments