બનાસકાંઠાના પાંથાવાડા, દાંતીવાડા, ડીસા ના ગૌસેવકો તેમજ ધાનેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગૌમાતા કે જે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવેલ છે કે જેને અત્યારે લંપી નામના ભયંકર રોગ ચાળામાં સપડાયેલ છે શ્રી સરકારે આજથી સાત મહિના પહેલા ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરેલી જે આજ દિન સુધી એક રૂપિયો પણ નથી આપેલ બીજું કે આ જાહેરાત બાદ ગૌશાળાઓમાં બીજા લોકોનું દાન આવતું હતું તે પણ આવતું બંધ થયું જેના લીધે ગાય માતાને યોગ્ય સારવાર ન મળવાના લીધે તેમ જ લંપી નામના આ રોગચાળા ના લીધે અત્યંત દયનીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે રોજની 200થી વધારે ગાયો દર્દનાક મૃત્યુ પામી રહી છે ત્યારે હિન્દુઓના હૃદય કંપની ગયેલા છે જે અનુસંધાને ગૌરક્ષકો અને એ એચપી રાષ્ટ્રીય બજરંગ દળ ટીમ સાથે મળી સંપૂર્ણ બનાસકાંઠામાં 2 હજાર થી વધારે ગાય માતાને સરકાર દ્વારા યોગ્ય સારવાર વેક્સિન અને જે જાહેરાત કરેલી પાંચસો કરોડની એ આપવા સરકાર જાગૃત થાય એ માટે જાહેર જગ્યાઓએ તેમજ સરકારી કચેરીઓ પર ગૌમાતા ને ન્યાય માટેના બેનરો લગાવવામાં આવ્યા.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગૌમાતા કે જે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવેલ

Recent Comments