આઈએમએસ સાથે સંકળાયેલા તબીબોએ સરકારને પત્ર લખ્યો છે કોરોનાના કેસ ઓછા થતા ફરજિયાત માસ્કથી મુક્તિ આપવામાં આવે. ફરજિયાત માસ્કના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. દિલ્હીમાં આજથી જ માસ્કના નિયમ હળવા કરાયા છે ત્યારે આઈ એમ એસ સાથે જોડાયેલા તબીબોનું કહેવું છે કે આ નિયમ છૂટ છાટ આપવા માં આવે રાજ્યભરમાં ગઈ કાલે 168 જેટલા કેસો આવ્યા હતા. ત્યારે અને એક્ટિવ કેસની સંખ્યા અને પોઝિટિવ કેસ સામે સાજા થનાર દર્દીઓ વધી રહ્યા હોવાથી હવે એકદમ ઝડપથી ડાઉન ટ્રેન્ડ આવી ગયો છે. 98 ટકા લોકોમાં એક વેક્સિનેશન થઇ ચૂક્યું છે બાળકોએ પણ 15 થી 180વર્ષની ઉંમરનાને વેક્સિn આપવામાં આવી છે. અત્યારે એકલદોકલ માણસ જેઓ ગાડીમાં જતા હોય કે કોઈ અન્ય વાહનની અંદર જતા હોય ત્યારે તેમને રોકીને માસ્કના નામે દંડ ઉઘરાવવો તે યોગ્ય નથી. સ્કૂલ-કોલેજો સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ ધંધા-રોજગાર બધું જ ભૂલી ગયું છે તો શા માટે માસ્કની જરૂર છે તે પ્રકારની માંગ લોકોમાથી પણ ઉઠી છે. જોકે આ પહેલા રાજ્ય સરકારે પણ આ બાબતે વિચારણા કરી હતી પરંતુ બાદ ફરજિયાત માંથી મુક્તિ આપવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં માંથી છૂટી મળી તે પ્રકારની શક્યતા પણ છે.
આઈએમએસ સાથે સંકળાયેલા તબીબોએ સરકારને પત્ર લખ્યો માસ્કને ફરજીયાત નિયમથી હટાવવા માંગ કરી

Recent Comments