સાવરકુંડલા સ્થિત આઈ.ટી.આઈ ખાતે તાજેતરમાં દીક્ષાંત સમારોહ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા સ્કેલ એસોસિએશન પ્રમુખશ્રી જયંતીભાઈ મકવાણાએ આઇ ટી આઇના વિવિધ સંવર્ગના તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ ત્રણ ક્રમાંક સાથે ઉતીર્ણ થયા હોય તેવા તાલીમાર્થીઓને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા હતા, તેમ આચાર્યશ્રી, આઈ.ટી.આઈ સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઈ-સાવરકુંડલા ખાતે દીક્ષાંત સમારોહ ઉજવાયો

Recent Comments