હાલ અમરેલી જિલ્લામાં કોવીડ-૧૯ ના વધતા સંક્રમણને ધ્યાને રાખી લીલીયા તાલુકા પંચાયત દ્વારા લોકહિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને આગામી ૩૦ એપ્રિલ સુધી અગત્યના કામ સિવાય લોકોને લીલીયા તાલુકા પંચાયતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અગત્યના કામ માટે સોમવારે અને ગુરુવારે કચેરીના ફોન નંબર ૦૨૭૯૩ ૨૩૬૫૩૫ ઉપર સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે
આગામી ૩૦ એપ્રિલ સુધી અગત્યના કામ સિવાય લોકોને લીલીયા તાલુકા પંચાયતમાં પ્રવેશ નિષેધ

Recent Comments