અમરેલી

આગામી ૫ મે સુધી અમરેલી જિલ્લાના તમામ જનસેવા તથા ઇ-ધરા કેન્દ્રો બંધ

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારશ્રીની સુચના અનુસાર તથા અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રો આગામી તા. ૫ મે એટલે કે આવતા બુધવાર સુધી નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં અગત્યની જરૂરીયાત જણાય તો કચેરીના વડાનો સંપર્ક કરવાનો રહેશે.

Related Posts