આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી ધારાબેન ભાલારાના અધ્યક્ષ સ્થાને સરકારશ્રીના તમામ વિભાગોની સંકલન બેઠક યોજાઈ

આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી ધારાબેન ભાલારા મેડમના અઘ્યક્ષ સ્થાને સરકારશ્રીના તમામ વિભાગોની સંકલન બેઠક યોજાય હતી જેમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અનુસાર અને શહેર ભાજપના માર્ગદર્શન તળે સાવરકુંડલાની સુખાકારી માટે સંકલન સમિતિના સભ્ય નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા સંકલન બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા બે પ્રશ્નો રજૂ થયા. સાવરકુંડલા શહેરને મળતું મહી નદીનું પાણી જે મોડી રાત્રે આવે છે
તેને દિવસે આપવું અને ડોળુ આવે છે તેનું નિરાકરણ કરવું. નગરપાલિકામાં આધાર કાર્ડ કીટ આપવા માટે માંગણી કરી હતી જ્યારે શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા પાંચ પ્રશ્નો રજૂ કરવામાં આવેલ જેમાં વર્ષો જૂની ખખડધજ પોસ્ટ ઓફીસનું નવીનીકરણ, પંદર દાદરા સિનિયર સિટીઝન ચડીને એસબીઆઈ બેન્ક દરબારગઢ શાખામાં પડતી મુશ્કેલીઓ, સીટી સર્વે ઓફીસનું નવું બિલ્ડીંગ બનાવી અને કાયમી ધોરણે સર્વેયર મુકવા, સાવરકુંડલાથી યાત્રાધામો માટે કાગવડ-વીરપુર, ગોંડલ બસની માંગણી, તથા આધારકાર્ડમાં ફિંગરપ્રિન્ટ નથી આવતી તે બાબતે ઘટતું કરવા જેવા જરૂરી મુદ્દાઓ સંકલનમાં લેવા પ્રાંત અધિકારીશ્રીને માંગણી કરી હતી.
Recent Comments