આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગની એક દિવસીય કાર્યશાળા યોજાશે જેમાં રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા સુધાંશુભાઈ ત્રિવેદી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે સવારે 11:00 કલાકે આ કાર્યશાળા યોજવામાં આવશે. આ કાર્યશાળા ની અંદર મીડિયા વિભાગને વધુ સતેજ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને કરવામાં આવશે જેમાં અગાઉ પણ મીડિયા સેલ સાથે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષની બેઠક મહત્વની યોજવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ નું રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા હોદ્દેદારો પણ ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે વિશેષ પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પ્રકારના કાર્યો અને તેમાં પણ ખાસ કરીને આઠ વર્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના થયા છે ત્યારે તેને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન બીજેપી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ ચિંતન શિબિરની અંદર આ કાર્યક્રમો નક્કી થયા છે ત્યારે ગઈકાલે કારોબારીની બેઠકમાં તેને લઈને અવલોકન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ગુજરાતમાં કઈ દિશામાં કાર્ય કરવા અને લોકો સુધી મીડિયાના માધ્યમથી કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યોને પહોંચાડવા તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગની એક દિવસીય કાર્યશાળા યોજાશે

Recent Comments