ભાવનગર

આજે ભાવનગરમાં ઉજવાશે વર્લ્ડ ટાઈગર ડે

સમગ્ર વિશ્વમાં સને 2010 થી ઘટતી જતી વાઘોની સંખ્યા માટેની ચિંતાજનક એને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. ભાવનગરમાં રાજહંસનેચર ક્લબ અને લાઈફ સાયન્સ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સવારે 11:30 કલાકે લાઇફ સાયન્સ ભવનના જગદીશચંદ્ર બોઝ હોલમાં વર્લ્ડ ટાઈગર ડે ની ઉજવણી થશે. માં આ કાર્યક્રમમાં ભાવનગરના મદદનીશ વન સરક્ષક શ્રી બી આર સોલંકી વિશેષ ઉપસ્થિત રહે છે.

લાઈફ સાયન્સ ભવનના વડા ડો. ભારતસિંહ ગોહિલ “વાધ એક પરિચય” પર્યાવરણ કર્મશીલ શ્રી તખુભાઈ સાંડસુર “ભારતમાં વાઘનું સંરક્ષણ અને પડકારો” વાઘ વિશેષજ્ઞ કુ.ઝંકાર શાહ “ભારતમાં વાઘનું સાંસ્કૃતિક પ્રદાન” વિષયો પર વક્તવ્ય થશે.રસ ધરાવતા સૌને નિમંત્રણ છે. રાજહંસ નેચર ક્લબના પ્રમુખ શ્રી જલ્પેશભાઈ ચૌહાણ તથા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ રાવલીયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે

Related Posts