દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેની ધૂરા વર્ષ ૨૦૦૧માં તા.૦૭ ઓક્ટોબરના રોજ સંભાળી હતી. છેલ્લા ૨૩ વર્ષથી ગુજરાતની આ વણથંભી વિકાસયાત્રાને વધાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૩ વર્ષમાં અમરેલી જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૩ વર્ષમાં વીજળી ક્ષેત્રે સૌથી મોટી સિદ્ધી તત્કા્લીન મુખ્યામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી પ્રાપ્ત થઈ હતી. જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા ટાપુ શિયાળબેટમાં આઝાદીના ૬૯ વર્ષો બાદ (વર્ષ-૨૦૧૬) દરિયામાંથી ખાસ કેબલ બીછાવી વીજળી પહોંચાડવામાં આવી હતી.
શિયાળબેટનું વીજળીકરણ કરવા અંગેની જાહેરાત રાજયના તત્કાલીન મુખ્યામંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગૌરવ દિન-૨૦૦૮ વખતે કરી હતી અને જુન-૨૦૧૬માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે શિયાળબેટ ખાતે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે શિયાળબેટ ટાપુ છે, ચાંચ બંદરથી દરિયાઇ અંતર ૬ કિમી છે અને વસ્તી ગણતરી-૨૦૧૧ મુજબ રહેણાંક મકાનોની સંખ્યા ૮૪૧ તથા વસ્તી ૫,૦૯૬ છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ટાપુના વીજળીકરણ માટે ગ્રીડ પાવર સાથેનું જોડાણ તોફાની દરિયાઇ વાતાવરણને કારણે તાંત્રિક અને આર્થિક કારણોસર દરિયાઇ રસ્તે શક્ય ન હોવાથી વીજળીકરણ થઇ શક્યું નહોતું. આ ઉપરાંત શિયાળબેટ ટાપુમાં દરિયાઇ વિસ્તાર હોવાને કારણે તથા ચોમાસામાં ભેજનું પ્રમાણ અતિ હોય છે જેથી સોલાર પાવરથી વીજળીકરણ ન કરવા સ્થાનિક આગેવાનો અને લોકોએ રજૂઆત કરી હતી આથી ત્યાં સોલાર પાવરથી વીજળીકરણ કરવું શક્ય બન્યું નહિ.
દરિયાઇ માર્ગે મરીન કેબલ દ્વારા શિયાળબેટનું વીજળીકરણ કરવા અંગેની જાહેરાત રાજયના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત ગૌરવ દિન-૨૦૦૮ વખતે કરી હતી. પીજીવીસીએલની ઉચ્ચ સમિતિ દ્વારા સદર કામ અંગે ઝૂંપડપટ્ટી યોજના અંતર્ગત મંજૂરી આપી હતી.સદર કામ અંગે ટર્ન કી કોન્ટ્રાક્ટની નિમણુક માટે સતત ત્રણ પ્રયત્નથી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ પૂરતો પ્રતિભાવ ન મળવાથી ટેન્ડર રદ થયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૧૩માં ચોથીવાર ઓનલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું અને તેની સમગ્ર તકનીકી અને નાણાકીય ચકાસણી કરી ડિસેમ્બર-૨૦૧૩માં ડિલાઇટ કેબલ પ્રા.લિ.-વડોદરાને આ કામનો રુ.૧૭.૪૭ કરોડની કિંમતનો ટર્ન કી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.શિયાળબેટ વીજળીકરણનો પ્રોજેક્ટ એ ખાસ પ્રકારનો, યુનિક પ્રોજેક્ટ છે. દરિયાની અંદર મરીન કેબલ પાથરવા માટે ખાસ પ્રકારના દરિયાના મરજીવાની ટીમ, ખાસ મશીનરી દ્વારા હાઇડ્રોગ્રાફિક સર્વે તથા ખાસ પ્રકારના કુશળતા ધરાવનાર માણસોની જરૂર હોય છે. ભરતી-ઓટના સમયની જાણકારી, હવામાનની પરિસ્થિતિ તથા દરિયાઇ પરિસ્થિતિ મુજબ દિવસમાં અમુક મર્યાદિત કલાકો જ કાર્ય થઇ શકતુ હતું.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા આરસીસી સીલ્ડ, સીન્કથર્સ, એચડીપીઇ પાઇપ, ક્લેમ્પીંગ તથા વિશિષ્ટુ પ્રકારના માલ-સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ, આ તમામ બાબતો સંપૂર્ણ તલસ્પ ર્શી સર્વેક્ષણ તથા અભ્યાસ કરી નવેમ્બર-૨૦૧૪થી કામગીરી શરુ કરવામાં આવી હતી, જે મે-૨૦૧૬માં પૂર્ણ કરવામાં આવી.આઝાદી પછી ગ્રીડ કનેકટેડ વીજપુરવઠાથી વંચિત હતા, ગ્રામજનોને વર્ષ-૨૦૧૬થી સતત અને સ્થિર (૨૪X૭) વીજપુરવઠો મળતા શિયાળબેટ મુખ્ય ઊર્જા પ્રવાહ સાથે જોડાયું હતું. વીજળી મળતા શિયાળબેટમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નતિના દ્વારા ખૂલ્યા છે.
Recent Comments