સરકારી જિલ્લા પુસ્તકાલય, અમરેલી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કવિ શ્રીકલાપીને સ્મરણાંજલિ આપવાના હેતુથી પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા પુસ્તકો જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જિલ્લા આયોજન અધિકારીશ્રી લલિતભાઈ અમીન, જિલ્લા તિજોરી ઓડિટર શ્રી જયેશભાઈ ખાચર, જિલ્લા પંચાયતના અધિકારીશ્રી ચૌહાણ, જિલ્લા ગ્રંથપાલ શ્રી એમ.કે. રાઠવા સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું, જેને બહોળો લોકપ્રતિસાદ સાંપડયો હતો.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સરકારી જિલ્લા પુસ્તકાલય દ્વારા કવિ શ્રીકલાપીને સ્મરણાંજલિ આપતું પુસ્તક પ્રદર્શન યોજાયું

Recent Comments