અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર જિલ્લાકક્ષાની ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાશે

અમરેલી રમત ગમત કચેરી દ્વારા ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર ધોરણ ૬ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ dsoamreli.blogspot.com પરથી અથવા રમત ગમત કચેરી પરથી મેળવી શકાશે. વિદ્યાર્થીએ પોતાની અરજી તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો), પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરી તા. ૧૫/૧૦/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

Related Posts