આણંદના તારાપુર તાલુકાના વરસડાથી ગોલાણા તરફ નહેર બાજુથી આવતી નહેરના પાણીમાંથી ગુરૂવારના રોજ એક ૪૦ થી ૫૦ વર્ષના યુવકની લાશ મળી આવી હતી. આ ઘટનાને લઈને લોકો ભેગાં થઈ ગયાં હતા. આ અંગે મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના વરસડાથી ગોલાણા તરફ નહેર બાજુથી આવતી નહેરના પાણીમાંથી ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાના સમયે એક અજાણ્યા ૪૦ થી ૫૦ વર્ષના આશરાના અજાણ્યા યુવકની લાશ તરતી જાેવા મળી હતી. જેને લઈને આજુબાજુના લોકો ભેગાં થઈ ગયાં હતા. આ અંગે ગોલાણામાં રહેતાં કનુભાઈ સાદુડભાઈ વાલ્મિકીએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની લાશ બહાર કઢાવી જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. બીજી બાજુ તારાપુર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના તારાપુરમાં નહેરમાંથી યુવકની લાશ મળતા ચકચાર મચી, પોલીસે તપાસ હાથ ધરી

Recent Comments