શ્રીલંકા, નેપાળ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, સહિત વિભિન્ન રાજ્યો માંથી આવેલા પ્રતિનિધિમંડળ દ્વારા આજે સારહિ તપોવન આશ્રમ ની મુલાકાત લીધેલ અને નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે ચાલતી આ સંસ્થાની વિઝિટ કરી ખૂબ જ પ્રભાવિત થયેલ હતા. તપોવન આશ્રમ ના સંસ્થાપક શ્રી મુકેશભાઈ સંઘાણી ને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી તાલીમ માટે દેશ અને વિદેશના સહકારી આગેવાનો આવેલ છે જેમને જીલ્લા સહકારી સંઘ ના ચેરમેન મનિષભાઇ સંઘાણી તથા NCUI ના ડેપ્યુ. સીઈઓ શ્રીમતી સાવિત્રી સિંહ, સહિત શ્રીલંકા, નેપાળ, દિલ્હી,કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, સહિત વિભિન્ન રાજ્યો માંથી આવેલા પ્રતિનિધિમંડળ દ્વારા આજે સારહિ તપોવન આશ્રમ ની મુલાકાત લીધેલ અને નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે ચાલતી આ સંસ્થાની વિઝિટ કરી ખૂબ જ પ્રભાવિત થયેલ તપોવન આશ્રમ ના સંસ્થાપક શ્રી મુકેશભાઈ સંઘાણી ને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.. આ તકે સસ્થાના આગેવાનો સુરેશભાઈ શેખવા, ૠજુલભાઈ ગોડલીયા, હરિભાઈ કાબરીયા ઉપસ્થિત રહયા હતા તેમ સસ્થાની યાદીમા જણાવવામા આવેલ છે.
Recent Comments