અમરેલી

આધુનિક અને ઝડપી રેલ્વે મોદી સરકારની ગેરંટી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલી લોકાર્પણ

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલ માધ્યમથી  સાવરકુંડલા શહેરના એલ 65 નંબર  તેમજ  એલ 66 અંડર બ્રિજ નું  લોકાર્પણ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા પ્રયાસોથી કરવામાં આવ્યું જે અંતર્ગત એલ.66  નંબર  નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી , કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ , બાગ બગીચા ચેરમેન જીગ્નેશભાઈ ટાંક ,પટેલ સમાજના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ જયાણી, ભીખાભાઈ કાબરીયા,ભાજપ અગ્રણી અનિલભાઈ ગોહિલ  વિસ્તારના અગ્રણીઓ , નાગરિકો તેમજ, એલ.65 શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ,મહામંત્રી  વિજયસિંહ વાઘેલા, રાજેશભાઈ નાગ્રેચા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ નગરપાલિકા લાલાભાઇ ગોહિલ અજયભાઈ ખુમાણ હરિભાઈ ભરવાડ નીતિનભાઈ હેલૈયા, કિશોરભાઈ બુહા સંગઠનના લલીતભાઈ મારુ હર્ષદભાઈ પરમાર સહિતના રેલવે વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા

Related Posts