અમરેલી

આનદો : આખરે અમરેલીના લોકોની આતુરતાનો આવ્યો અતતા. ૧૨ મી માર્ચના રોજ માન. વડાપ્રધાન મોદી દ્રારા ખીજડીયા થી અમરેલી બ્રોડગેજ લાઈનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે

સાથો સાથ લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે નિર્માણ પામેલ ગતિ શકિત કાર્ગો ટર્મિનલનુ પણ ઈ-લોકાર્પણ કરવામા આવશે સવારે ૦૮:૦૦ કલાકે અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે પધારી આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બનવા અમરેલીના લોકોને અપીલ કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અમરેલીના લોકપ્રિય સાસદ અને જેમને ૧૦૮ તરીકેની ઉપાધિ મળેલ છે તેવા નારણભાઈ કાછડીયાની યશકલગીમા વધુ એક પીછુ ઉમેરાવા જઈ રહયુ છે. અમરેલીના લોકોની વર્ષો જુની માગ એટલે કે ખીજડીયા થી અમરેલી સુધીના સેકશનના બ્રોડગેજ પ્રોજેકટનુ તા. ૧૨મી માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઈ-ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આજે અમરેલીની જનતાનો આતુરતાનો અત આવેલ છે અને તેઓએ અમરેલીના આગણે બ્રોડગેજ લાવવા માટે લોકોને જે વચન આપેલ હતુ તે પાળી બતાવ્યુ છે. જેના ભાગ રૂપે માન. પ્રધાનમત્રીશ્રી રૂા. ૧૭૮ કરોડની રાશી સાથે સ્વિકૃત ખીજડીયા થી અમરેલી સુધીના સેકશનનુ વર્ચ્યુલી ઈ-ખાતમુહુર્ત કરવાના છે તેમજ લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે રૂા. ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગતિ શકિત કાર્ગો ટર્મિનલનુ પણ વડાપ્રધાનશ્રી તેમના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવાના છે.

સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વધુમા જણાવેલ છે કે, વિપક્ષ તેમજ હિત શત્રુઓ દ્રારા બ્રોડગેજ મુદે અમરેલીના લોકોને ખોટી માહિતીઓ આપી ખુબ જ ગુમરાહ કરેલ હતા. જેનુ આજે દુધનુ દુધ અને પાણીનુ પાણી થયેલ છે. ત્યારે તા. ૧૨મી માર્ચના રોજ સવારે ૦૮:૦૦ કલાકે અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અમરેલીના લોકોને સાસદશ્રીએ અપીલ સહ અનુરોધ કરેલ છે.

Related Posts