લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક આપને મળી છે. જેથી ભરૂચ લોકસભા બેઠક અંગેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિવાદ પૂર્ણ થયો છે. તો બીજી તરફ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રીના અરમાનો પર પાણી ફર્યુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચતા હોય તેવું સી. આર. પાટીલે કહ્યું છે. વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં બે જ બેઠક પર લડવાનો ર્નિણય લઈ સારું કર્યું છે એવા પ્રહાર સી. આર. પાટીલે કહ્યું.
સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું. આ ગઠબંધન સફળ નહીં થાય તેવું સી. આર. પાટીલે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ અને આપના ગઠબંધન પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીને કહ્યું કે, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ ર્નિણય કરવામાં આવ્યો છે. પરંતું કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે. ૨૦૨૨ માં લોકસભાની ૭માંથી ૪ બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઈ હતી. ત્યારે હવે ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે.
ભાવનગર વર્ષોથી ભાજપની મજબૂત સીટ છે. પાટીલે કહ્યું કે, એક ગામમાં આગ લાગી ત્યારે આંધળો અને લંગડાએ ગઠબંધન કર્યું તેવી આ સ્થિતિ છે. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા. ત્યાર બાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વહેંચી લેતા. પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નહિ. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે.
પાટીલે આગળ કહ્યું કે, વિધાનસભામાં ૧૨૬ બેઠકો પર આપની ડિપોઝીટ જપ્ત થઈ હતી. માત્ર ૨ ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે ૪૪ સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી. ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે તેને લોકો જાણે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક ૫ લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી પહેલા ભારત જાેડો યાત્રા લઈને નીકળ્યા હતા, તેની કોઈ અસર થઈ નથી થઈ. હવે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. ભાજપ ૨૬ સે ૨૬ લોકસભાની સીટ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ અને તેમને લોકોના પૂરા કરેલા વાયદા અનુસાર ચૂંટણી લડશે અને જીતશે.



















Recent Comments