અમરેલી

આમ આદમી પાર્ટી દ્વારા 94 ધારી વિધાનસભા બેઠક ઉપર સતત ૧૧ દિવસ સુધી જુનાવાઘણીયા હિન્દવાપીર ગૌશાળાના લાભાર્થે રામદેવપીર મહારાજની જીવનલીલાનું આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા 94 ધારી વિધાનસભા બેઠક ઉપર સતત ૧૧ દિવસ સુધી (27/05 થી 06/06/2022 સુધી) જુનાવાઘણીયા હિન્દવાપીર ગૌશાળાના લાભાર્થે રામદેવપીર મહારાજની જીવનલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે આયોજનમાં ૧૧ દિવસ ખડેપગે રહી પદાધિકારીઓને એક બીજાના ખંભેખભો મિલાવી સતત કાર્યશીલ રહેનાર અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, વિધાનસભા પ્રભારી રાહુલભાઈ હરખાણી, ધારી તાલુકા પ્રમુખ જીતુભાઈ ગજેરા, સક્રિય કાર્યકર્તા એવા સુરેશભાઈ માલવિયા તથા શૈલેષભાઈ સતાસિયા, વનરાજ વાળા તેમજ મિલનભાઈ સાવલિયા આ તમામ લોકો ૧૧ દિવસ સુધી સતત જહેમત ઉઠાવી કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા.     

જેમાં અન્ય સાથીદારોએ પોતાના વિસ્તારમાં જવાબદારી નિભાવી હતી જેમ કે કમલેશભાઈ બાજરીયા, રમણીકભાઇ બાલધા, રાધિકાબેન મકવાણા, બાલીબેન, નયનાબેન બોરીચા, રાજુભાઈ કોટીલા,  કિશન ગજેરા, દેવ ગજેરા, રાજુભાઈ દુધાત, હાર્દિકભાઈ પદમાણી, પિયુષભાઈ ડાવરા, મુકેશભાઈ વોરા, દ્રષ્ટાંત ગજેરા, જેન્તીભાઈ પટોળીયા, વેલજીભાઈ ધડુક, હસમુખભાઈ કોરાટ,  હિતેશભાઈ સુખડિયા, ધીરુભાઈ સાવલિયા, હિંમતભાઈ વોરા, પાયલબેન પટેલ, કપિલભાઈ વેગડા, વગેરે નામી અનામી આ તમામ કાર્યકર્તાઓ ના સહયોગથી 11 દિવસનું આયોજન સુંદર રીતે પાર પાડ્યું છે. આમ આદમી પાર્ટી આવા ધાર્મિક અને ભગીરથ  સેવાકીય કાર્ય કરતી રહે તેવી લોક લાગણી લોકોમાંથી આવી રહી છે આ ઉમદા કાર્ય થી દરેક ગામમાં (નાના મુંજીયાસર, ખારી, કાગદડી, દેવળા, સમઢિયાળા, ખાંભા, ચલાલા, ડાંગાવદર, નબાપરા ધારી,  માવજીંજવા, જુના ઝાંઝરિયા)  આમ આદમી પાર્ટીને ખુબજ જન પ્રતિસાદ મળ્યો છે. તેનો પ્રભાવ આવનારી ચૂંટણીમાં જરૂર વર્તાશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

Related Posts