ગુજરાત

આમ આદમી પાર્ટી ૪ નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ૮૬ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે આપ ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો પણ ૪ નવેમ્બરના રોજ જાહેર કરવા જઈ રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પસંદગી માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે. આપ દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર ૬૩૫૭૦૦૦૩૬૦ પર એસએમએસ, વોટ્‌સએપ મેસેજ, વોઈસ મેસેજ અને ઈમેલ પર પણ મેલ કરવા કેજરીવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

૩ નવેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યા સુધી આ નંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને ૪ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જાેરથી કરશે. સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ ર્નિણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે ૪ તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.

આમ આદમી પાર્ટી ઉપર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તે માત્રને માત્ર ભાજપનો ડર બતાવે છે. તાજેતરમાં મનીષ સિસોદિયા ઉપર દારૂ પોલિસીને લઈને મોટો ઘટાડો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમે તો પોતે કહીએ છીએ કે જાે તેમણે કોઈ મોટું કૌભાંડ કર્યું હોય તો તેમને જેલમાં પૂરી દો. તમે કેમ તેમને જેલમાં પૂરતા નથી. હજી આગામી દિવસોમાં ઘણા આક્ષેપો કરવામાં આવશે અને ડરાવવામાં આવશે પરંતુ અમે ગુજરાતની જનતાની વચ્ચે જઈએ છે. પ્રજાને અમારામાં વિશ્વાસ છે. દિલ્હીમાં જે પ્રકારે પ્રદૂષણે માઝા મૂકે છે તેને કારણે સમગ્ર દેશભરમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. અરવિંદ કેજરીવાલે યમુના સફાઈની વાત કરી હતી ત્યારે તેમણે સ્વીકાર્યું છે કે ૨૦૨૫ સુધીમાં યમુના સફાઈ કરવાની વાત મે કરી હતી. દિલ્હીમાં જે રીતે દર વર્ષે છટ પૂજા થાય છે એ જ રીતે આ વર્ષે પણ છઠ પૂજા થશે. આ દિલ્હીની નગરપાલિકાની ચૂંટણીનો મુદ્દો છે.

Related Posts