હાલ શિયાળાની શરૂઆતમાં સાવરકુંડલા શહેરમા આમળા ત્રીસ થી ૪૦ રૂપિયે કિલો લેખે વેચાતાં જોવા મળે છે. મોંઘીદાટ દવાઓ અને તેની સાઈડ ઈફેક્ટ કરતાં લોકોની રોગ પ્રતિકાર શક્તિ વધારતાં આમળા એટલે ધરતી પરનું શ્રેષ્ઠ અમૃત.. આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને શિયાળામાં શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપુર આમળામાં ભરપુર પોષકતત્વો જેવા કે એન્ટી ઓકસીડન્ટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશ્યમ વગેરે પોષક તત્વો હોય આમળા અનેક રોગોમાં આશિર્વાદ રૂપ ઔષધ છે. પાચન ક્રિયામાં ફાયદો થવા ઉપરાંત ડાયબીટીસ નિયંત્રણમાં રહે છે.
વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ થાય આમળાની વિશેષતાએ છે કે તેના સેવનથી વ્યક્તિની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. હ્રદય સંબંધી સમસ્યાઓમાં રાહત સાથે આમળાનું નિયમિત સેવન કરવાથી ત્વચા અને વાળની સમસ્યાઓ માટે પણ આશિર્વાદ રૂપ છે. આયુર્વેદમાં આમળાને પ્રકૃતિનું વરદાન કહ્યું છે. ‘હર દર્દ કી એક દવા’ આ કહેવત આમળા જાણે કે સાર્થક કરતું હોય તેમ માનવજાતની તંદુરસ્તી માટે અમૃત સમાન ગણાતા આમળા હાલ શિયાળાનાં પ્રારંભે સાવરકુંડલા શહેરમાં ૩૦ થી ૪૦ રૂપિયે કિલો વેચાતાં નજરે ચડે છે.
આમળાનું અથાણું, મુખવાસ, શાક, મુરબ્બો વગેરે રૂપમાં લઇ શકાય છે. આમળાએ તંદુરસ્તી માટે શિયાળાનું અમૃત ફળ માનવામાં આવે છે. નરણા કોઠે એટલે કે ખાલી પેટે આમળાનું સેવન ખુબ જ ફાયદાકારક હોવાનું આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા જણાવાય છે. ચ્યવનપ્રાશમાં પણ આમળાનો પ્રચુર માત્રામાં ઉપયોગ થાય છે.
Recent Comments