રાષ્ટ્રીય

આયુર્વેદ મુજબ લીમડો અને હળદર ખાવાથી સ્વાસ્થયને થશે મોટો ફાયદો, જાણો તેના લાભ વિશે…

આયુર્વેદમાં લીમડો અને હળદર ખાવાનું કહેવામાં આવે છે. કહેવાય છે કે હળદર અને લિમડાથી મોટામાં મોટી બિમારી પણ દુર ભાગે છે. જ્યારે પણ કુદરતી ઉપાયની વાત કરવામાં આવે ત્યારે લીમડો અને હળદર સૌથી પહેલા આવે છે. કારણ કે તેના ઔષધીય ગુણો ખુબ ભરપુર હોય છે. 

શરદી ભગાવે
લીમડાના પાનનો રસ એક ચપટી હળદર સાથે ગરમ પાણીમાં ભેળવી લો. જેથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ પાણી પીવાથી શરદીથી લઈને ગંભીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે 
લીમડો અને હળદરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લીમડો અને હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.

ચેપ ન લાગે
એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીમડો અને હળદર શરીરને જંતુઓ અને ફૂગ દ્વારા ચેપ લાગવાથી બચાવવામાં મદદ કરી શકે છે. 

શરદી, ખાંસીથી દુર રાખે
લીમડો અને હળદરનું સેવન વાયરલ ફ્લૂની સારવારમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ઋતુ બદલાવાની સાથે જ શરદી, ખાંસી અને નાક ભરાવાની સમસ્યા થવી સામાન્ય બાબત છે.

હળદરમાં એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હળદર શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને અપચોને દૂર કરવામાં મદદ કરે છે.

Related Posts