અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શુક્રવાર) આયુષમાન કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ ૧૯ સ્થળો પર તા.૧૬ થી તા.૨૮ દરમિયાન સવારે ૧૦ વાગ્યે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૩ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જાફરાબાદ (સવારે ૧૧.૩૦ વાગ્યે) તા.૧૬ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરા, તા.૧૮ સપ્ટેમ્બરે અમરેલી શહેરી આરોગ્ય કેન્દ્ર-૦૧, સામૂહિક આરોગ્ય કેન્દ્ર દામનગર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધારી, તા.૧૯ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા, તા.૨૦ સપ્ટેમ્બરે ગ્રામ પંચાયત વિઠ્ઠલપુર, તા.૨૧ સપ્ટેમ્બરે જાળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીડીએચ સાવરકુંડલા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંડા તા.૨૨ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બગસરા, તા.૨૩ સપ્ટેમ્બરે ચિતલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડીયા, તા.૨૫ સપ્ટેમ્બરે લાઠી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તા.૨૬ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાજુલા, અમરેલી શહેરી આરોગ્ય કેન્દ્ર-૦૨, તા.૨૮ સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લીલીયા સહિતના સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાશે. આથી, રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન થાય તે માટે નાગરિકોને સહકાર આપવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આયુષમાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા.૧૬ થી તા.૨૮સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ ૧૯ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન

Recent Comments