ભાવનગર

આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્રિચક્રી મોટર વાહનની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-ED 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૭-૧૦-૨૦૨૨ થી તા.૦૭-૧૧-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૭-૧૧-૨૦૨૨ થી તા.૦૯-૧૧-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Related Posts