રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. મંત્રીશ્રી અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે યોજાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. મંગળવારે બગસરાના જેઠીયાવદર-જામકા-શીલાણા-હાલરીયા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, જાળીયા-કેરાળા-ખીજડીયા- હડાળા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, રાજુલાના કામોનું ઈ-ખાત મુહૂર્ત જેમાં રોહિસા-ભાડા-ટીમ્બી રોડ ૧૭ કિ.મી. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રોડ ૧૨ કિ.મી.નું રિ-સરફેસીંગના કામોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કુંકાવાવ ખાતે નવીન બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત પણ મંત્રીશ્રીના વરદ હસ્તે થશે
આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે

Recent Comments