રાષ્ટ્રીય

આસામમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧૪ના મોત, ૨૭ ઘાયલ

આસામમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં ૧૪ લોકોના મોત થયા હતા જ્યારે ૨૭ લોકો ઘાયલ થયા હતા. આ ભયાનક માર્ગ અકસ્માત સવારે પાંચ વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું કે બસ અઠખેલિયાથી બાલીજાન લઈ રહી હતી ત્યારે કોલસાથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે ૪૫ મુસાફરો સવાર હતા. પોલીસે આ અંગે જણાવ્યું હતુ કે ૪૫ મુસાફરોને લઈને બસ લગભગ ૩ વાગ્યે પિકનિક માટે નીકળી હતી. બસ ગંતવ્ય સ્થાને પહોંચતા થોડા સમય પહેલા જ અકસ્માતનો ભોગ બની હતી.

માર્ગેરિટા તરફથી કોલસા ભરેલી ટ્રક આવી રહી હતી. ત્યારબાદ બંને વચ્ચે જાેરદાર અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ૧૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ ઘાયલોને જાેરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત ખરાબ હોવાનું કહેવાય છે.. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે બાલીજાન ગામમાં થયો હતો. અકસ્માત સમયે બસમાં ૪૫ લોકો સવાર હતા, જેઓ સવારે ૩ વાગ્યે અઠખેલિયાથી બોગીબીલ પિકનિક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, સવારે લગભગ ૫ વાગ્યે, માર્ગેરિટા તરફથી આવતી કોલસાની ભરતીની ટ્રક બસ સાથે અથડાઈ હતી.

દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને ત્નસ્ઝ્રૐ લઈ ગયા, જેમાંથી ઘણા મુસાફરોની હાલત નાજુક છે. તમને જણાવી દઈએ કે મંગળવારે અનેક અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. ઓડિશામાં બસ અને ટ્રકની અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, દિલ્હીના બુરારીમાં એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. રાયસેનમાં ધુમ્મસના કારણે બસ પલટી જતાં ૧૯ લોકો ઘાયલ થયા હતા.

Related Posts