આજના આ સમયમાં ખાણી-પીણીને કારણે ખીલ જેવી અનેક સમસ્યાઓ ચહેરાને ખરાબ કરીને મુકી દે છે. ચહેરા પરના ખીલ, કાળા ડાધા ધબ્બા, કાળા કુંડાળા ચહેરાની સુંદરતાને બગાડી દે છે અને શરમનું કારણ પણ બને છે. જો કે આ બધામાંથી બહાર નિકળવા માટે લોકો અનેક ઘણી બહારની મોંધી ક્રીમનો ઉપયોગ કરતા હોય છે અને ચહેરાને ક્લિન કરવાનું કામ કરતા હોય છે.
તમને જણાવી દઇએ કે આ મોંધી ક્રીમ તમારા ચહેરાને લાંબા ગાળે નુકસાન કરે છે. આમ, જો તમે આ દેશી નુસ્ખાઓના ઉપાયો કરો છો તો ચહેરો ક્લિન થઇ જાય છે અને તમે બહાર નિકળો ત્યારે શરમ પણ અનુભવશો નહિં. તો જાણી લો આ ઉપાયો તમે પણ…
એલોવેરા જેલ
એલોવેરા જેલમાં એન્ટી-ઇન્ફેલેમેન્ટરી ગુણ હોય છે જે તમારા ચહેરાને ક્લિન કરવાનું કામ કરે છે. એલોવેરા જેલ તમારા ચહેરા પરના ખીલને દૂર કરે છે. આ માટે એલોવેરા લઇને એની અંદરની જેલ નિકાળો અને તમારા મોં પર લગાવો.
લીંબુ
લીંબુમાં વિટામીન સી હોવાથી તમારી સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. લીંબુમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ હોય છે જે ડાધા ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય લીંબુ ડેડ સ્કિનને રિમુવ કરે છે. આ માટે લીંબુનો રસ, ગુલાબજળ અને વિટામીન ઇની કેપ્સુલને મિક્સ કરી લો અને પછી એને ચહેરા પર લગાવો. ત્યારબાદ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.
આંબળાની પેસ્ટ આંબળામાં વિટામી સી હોય છે જે તમને ચહેરા પરના ડાધમાંથી છૂટકારો અપાવે છે. આંબળાનો પાઉડર અથવા એની પેસ્ટ બનાવી લો અને ચહેરા પરના ડાધ પર લગાવો. જો તમે આ પ્રોસેસ નિયમિત 20 દિવસ સુધી કરશો તો ચહેરો ક્લિન થઇ જશે અને બધા ડાધા પણ દૂર થઇ જશે.
Recent Comments