રાષ્ટ્રીય

ઇન્ટરનેશનલ ડે ઓફ અનબોર્ન ચાઈલ્ડના દિવસે જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય વિકાસશીલ બાળક વિશે લોકોને જાગૃત કરવાનો છે. ગર્ભપાતના વિરોધમાં દર વર્ષે ૨૫ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય અજાત બાળકનો દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય માનવ જીવનના મૂલ્યો અને હજુ સુધી જન્મેલા બાળકની ઉજવણી કરવાનો છે. આ દિવસ ગર્ભપાતને કારણે જીવ ગુમાવનાર અજાત ભ્રૂણોની સ્મૃતિનો દિવસ છે. અજાત બાળક શું છે? તે વિષે પણ જાણો… અજાત બાળક શબ્દનો ઉપયોગ માતાના ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક માટે થાય છે જે હજી જન્મ્યો નથી. ગર્ભપાત અને અજાત બાળકના અધિકારો વિષે પણ જાણો… ગર્ભપાતની તરફેણમાં લોકો કહે છે કે મહિલાઓને તેમના શરીર અને તેમના ભવિષ્ય વિશે ર્નિણય લેવાનો અધિકાર છે.

ગર્ભપાત કરાવવો સ્ત્રીના જીવનને જાેખમમાં મૂકી શકે છે. ગર્ભપાતનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ અજાત બાળકના અધિકારોનું ઉલ્લંઘન છે. ગર્ભધારણથી લઈને કુદરતી મૃત્યુ સુધી તમામ મનુશ્યોનુ રક્ષણ થવું જાેઈએ. અજાત બાળકના આંતરરાષ્ટ્રીય દિવસનો ઇતિહાસ વિષે પણ જાણો… જ્હોન પોલ ૈંૈંએ આ દિવસને દરેક પરિસ્થિતિમાં માનવ ગૌરવ માટે આદરની ખાતરી આપવા માટે જીવનની તરફેણમાં હકારાત્મક પસંદગીના પ્રસાર તરીકે જાેયો. આ દિવસની શરૂઆત આજેર્ન્ટિનામાં થઈ હતી. અલ સાલ્વાડોર ૧૯૯૩ માં સત્તાવાર રીતે આ દિવસને માન્યતા આપનારો પ્રથમ દેશ હતો. ૧૯૯૯ થી, મુસ્લિમ, યહૂદી અને રૂઢિચુસ્ત સમુદાયોના પ્રતિનિધિઓ તેમાં ભાગ લે છે.

કોલંબસના નાઈટ્‌સે પણ અજાત બાળકના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રચારને પ્રોત્સાહન આપ્યું હતું. અજાત બાળકો માટે આંતરરાષ્ટ્રીય દિવસનું મહત્વ જાણો… અજાત બાળક માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ગર્ભપાતની નિંદા કરે છે કારણ કે તેના જન્મ પહેલાં જ તેની હત્યા કરવામા આવે છે. અજાત બાળક માટે આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ પણ જાણો… અજાત બાળક માટેના આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ માનવ જીવન અને અજાત બાળકના મૂલ્ય અને ગૌરવની ઉજવણી કરવાનો છે.

જન્મજાત બાળકના આંતરરાષ્ટ્રીય દિવસની ૪ હકીકતો વિષે જાણો – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં તમામ ગર્ભાવસ્થાના ૨૨ ટકા ગર્ભપાતમાં પરિણમે છે. – દર વર્ષે વિશ્વમાં લગભગ ૪૦ થી ૫૦ મિલિયન ગર્ભપાત કરવામાં આવે છે, જે લગભગ ૧ લાખ ૨૫ હજાર પ્રતિ દિવસ બરાબર છે. – યુનાઇટેડ સ્ટેટ્‌સમાં દર વર્ષે લગભગ ૨૫,૦૦૦ બાળકો મૃત જન્મે છે. – ૬૦ ટકા ભ્રૂણ ગર્ભાવસ્થાના ૨૮ અઠવાડિયા પછી મૃત્યુ પામે છે. ગર્ભપાતના કાયદા વિષે જાણો… ભારતમાં ૧૯૬૦ સુધી ગર્ભપાત ગેરકાયદેસર હતુ અને મહિલાને ૈંઁઝ્ર કલમ ૩૧૨ હેઠળ ત્રણ વર્ષની સજા અને દંડ કરવામાં આવતો હતો. ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૩૧૨ હેઠળ, સગર્ભા સ્ત્રીની સંમતિથી ગર્ભપાત એ પણ ગુનો છે, સિવાય કે જ્યારે સ્ત્રીના જીવનને બચાવવા માટે ગર્ભપાત કરવામાં આવે.

Related Posts