વિશ્વની સૌથી મોટી મુશીબત એટલે પર્યાવરણને બચાવવાની મુશીબત લોકો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલી ઇશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે ‘માટી બચાવો- સેવ સોઇલ’ના એમઓયુ કર્યા છે. અમદાવાદની એક હોટેલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સદગુરુની હાજરીમાં એમઓયુ થયા હતા. આ એમઓયુનો હેતુ માટીને રણમાં ફેરવતી અટકાવવાનો હોવાનું સરકારી સૂત્રોનું કહેવું છે. સદગુરુની હાજરીમાં કરાયેલા એમઓયુનો હેતુ ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા તેમ જ વૃક્ષારોપણ, માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ચેરનાં વૃક્ષના આવરણથી ગ્રીન કવર વધારવાનો છે. ‘માટી બચાવો’ના અભિયાન હેઠળ સદગુરુ ૧૦૦ દિવસની ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે.
ઈશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યા

Recent Comments