ઈશ્વરિયા આંગણવાડીમાં રામ, લક્ષ્મણ અને જાનકી ઈશ્વરિયા શનિવાર તા.૨૦-૧-૨૦૨૪ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના ફરજ પરના અધિકારી શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા આંગણવાડી કેન્દ્રમાં બાળકો રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષામાં પ્રસ્તુત થયા. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ સંદર્ભે અહીંયા નંદઘર આંગણવાડીના સંચાલકો શ્રી નીતાબેન ચૌહાણ, શ્રી નિધીબેન દવે, શ્રી જયશ્રીબેન મકવાણા સાથે શ્રી મંજુબેન મકવાણા અને શ્રી રંજનબેન દવે દ્વારા થયેલા આયોજનમાં પૂજા આરતી સાથે વંદના કરવામાં આવી. આ પ્રસંગે કાર્યકર્તા શ્રી જગદીશભાઈ ચાવડા અને શ્રી સતીષભાઈ ગોહિલ જોડાયા હતા.
ઈશ્વરિયા આંગણવાડીમાં રામ, લક્ષ્મણ અને જાનકી

Recent Comments