અમરેલી

ઈસ્માઈલી સિવીક ઈન્ડિયા દ્વારા બગસરા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાંજળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહ્યા

 બગસરા મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ઉજવણીમાં ઉપસ્થિત રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બગસરા ખાતે, ઈસ્માઈલી સિવીક ઈન્ડિયા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. મંત્રીશ્રીએ આયોજકોના અનુરોધને માન આપી અને રક્તદાન કેમ્પની મુલાકાત કરી હતી. કોમી એકતાના પ્રતિક સમાન રક્તદાન કેમ્પમાં જોડાનાર રક્તદાતાઓને, મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈસ્માઈલી સિવીક ઈન્ડિયા દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર રાજયમાં ૨૦ સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બગસરા ખાતે યોજાયેલા આ રક્તદાન કાર્યક્રમમાં બગસરા-ધારી-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, બગસરા પ્રાંત અધિકારીશ્રી, બગસરા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ,  અધિકારીશ્રી,  કર્મચારીશ્રીઓ,  આગેવાનશ્રીઓ,  વેપારીઓ, અગ્રણીશ્રીઓ અને રક્તદાતાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts