આ વર્ષે હોળીના દિવસે મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એક મોટો અકસ્માત થયો હતો. ૨૫ માર્ચે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૪ લોકો દાઝી ગયા હતા. આ ઇજાગ્રસ્તો પૈકી એકનું હાલ મોત થયું છે. તેનું નામ સત્યનારાયણ સોની છે, જે મંદિરના સેવક હતા. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગર્ભગૃહમાં ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ૨૫મી માર્ચે સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી થઈ રહી હતી. મંદિરમાં ભગવાનનો જયજયકાર થઈ રહ્યો હતો. ૫ઃ૪૯ વાગ્યે ગર્ભગૃહમાં આગ ફાટી નીકળી ત્યારે ભક્તો ભોલેની ભક્તિમાં મગ્ન હતા. આ અકસ્માતમાં પૂજારી સહિત ૧૪ લોકો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાંથી ૯ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા. ૫ની સારવાર ઉજ્જૈનમાં જ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા સત્યનારાયણ સોનીને ઈન્દોરની અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતો જાેઈને તેને વધુ સારી સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન સવારે તેમનું મોત નિપજ્યું હતું. સત્યનારાયણ સોનીની ઉંમર ૮૦ વર્ષ હોવાનું કહેવાય છે. મંદિર સાથે જાેડાયેલા લોકોનું કહેવું છે કે, સત્યનારાયણ સોની બાબા મહાકાલના સાચા સેવક હતા, જે ભસ્મ આરતી માટે ગર્ભગૃહની સફાઈ કરવા, પૂજા સામગ્રી એકત્રિત કરવા અથવા અન્ય કોઈપણ કાર્ય માટે હંમેશા તૈયાર રહેતા હતા. બાબા મહાકાલની પૂજા કરવા માટે ગમે તે પૂજારી સાથે, સત્યનારાયણ સોની સેવા આપવા માટે તેમના સહાયક તરીકે હંમેશા હાજર રહેતા હતા.
આ આગમાં દાઝી ગયેલા પૂજારીના પુત્ર મનોજ શર્મા (૪૩), પૂજારી સંજય શર્મા (૫૦) અને નોકર ચિંતામણ (૬૫) હજુ પણ ઈન્દોરની અરવિંદો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સત્યનારાયણ સોની ઘણા વર્ષોથી મહાકાલ મંદિરમાં સવારની ભસ્મ આરતીમાં નિયમિત હાજરી આપતા હતા. તેમણે આરતી અને પૂજા દરમિયાન પૂજારીની મદદ પણ કરી હતી. સોની એ જ હતા જે મહાકાલ મંદિરની ભસ્મ આરતી દરમિયાન નંદી હોલમાં બહાર આવતા હતા અને મહિલા ભક્તોને વિનંતી કરતા હતા કે ભગવાન મહાકાલને ભસ્મ ચઢવાની છે. સ્ત્રીઓને ભસ્મ ચઢતી જાેતી નથી. માટે ઘુંઘટ ઓઢવાનું કહેતા હતા. ભોલેનાથને ભસ્મ અર્પણ કર્યા પછી, સોની તેમને પાછા બોલાવીને મહિલાઓને તેમના ઘુંઘટ હટાવવાનું કહેતા હતા. મંદિરના પૂજારીઓ અનુસાર, સોની ખૂબ જ મિલનસાર વ્યક્તિ હતા.
Recent Comments