ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ખોડામાંથી યુવતીના ધર્મ પરિવર્તનના કેસમાં ચોથા આરોપી દિલ્હીના મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિંદુ યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપી મોહમ્મદ રાહિલ ઉર્ફે રાહુલ અગ્રવાલ સાથે ઓનલાઈન નિકાહ કરવા બદલ દિલ્હીના મૌલવીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી શાહદમન સંગમ વિહાર દિલ્હીની મસ્જિદનો મૌલવી છે. ધર્માંતરણના મામલામાં હજુ પણ ઘણા લોકો પોલીસના રડાર પર છે. મૌલવીને રાહિલ વિશે જાણકારી હતી કે તે ભૂતકાળમાં હિંદુ હતો અને ઈસ્લામ ધર્મ અપનાવીને મોહમ્મદ રાહિલ બન્યો હતો. રાહિલ પરણિત હોવાની જાણ મૌલવીને પણ હતી. આમ છતાં મૌલવી શાહદમાને રાહિલને મસ્જિદમાં બોલાવ્યો અને ખોડાની યુવતીના ઓનલાઈન નિકાહ કરાવ્યા. રાહિલ અને ખોડાની છોકરીના નિકાહ માટે મૌલવીએ પોતે સાક્ષીને બોલાવ્યા હતા. આ સાક્ષીઓ મૌલવી શાહદમનના પરિચિતો છે અને દિલ્હીના રહેવાસી છે, પરંતુ હવે તે સાક્ષીઓ પોલીસના સાક્ષી બનશે. નિકાહ દરમિયાન મોહમ્મદ રાહિલ અને યુવતીના સંબંધીઓમાંથી કોઈ હાજર નહોતું. રાહિલે ન તો ખોડાની રહેવાસી યુવતીને તેના નિકાહ વિશે જણાવ્યું હતું કે ન તો તેણે તેની પત્ની ઈકરા પાસેથી બીજા નિકાહ માટે પરવાનગી લીધી હતી. મૌલવીએ રાહિલના પિતા પાસેથી છોકરી અને રાહિલના નિકાહ કરાવવા માટે કોઈ પરવાનગી પણ લીધી ન હતી. ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનને લઈને કાયદો ઘણો કડક છે. દસ વર્ષ સુધીની સજાની જાેગવાઈઓ પણ છે, પરંતુ તેમ છતાં લવ જેહાદના અનેક કિસ્સાઓ કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવી ઘટના ગોરખપુરમાં બની હતી. જ્યાં એક મહિલાએ ખુર્શીદ નામના વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે. આવા અનેક આરોપો જેવા કે બળજબરીનો આરોપ, અશ્લીલ વીડિયો બનાવવાના આરોપો, ધર્મ પરિવર્તનના આરોપો, બળજબરીથી લગ્ન કરવાના આરોપો અને જાનથી મારી નાખવાની ધમકી અને ત્રાસ આપવાના આરોપો લાગ્યા છે.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હિંદુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને પરણિત પુરુષ સાથે કરાવ્યા ઓનલાઈન નિકાહ કરાવતો મૌલવીની ધરપકડ

Recent Comments