જાેશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી ગઈ છે. આ તિરાડ લગભગ એક અઠવાડિયા પહેલા જાેવા મળી હતી. જાેકે, આ માહિતી સામાન્ય લોકો સુધી જાણી શકાઈ નથી. જાેશીમઠથી માત્ર ૪૦ કિમીના અંતરે જમીન ધસી જવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે તાત્કાલિક સ્થળનો સર્વે કરીને સમારકામની કામગીરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના જાેશીમઠમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે સેંકડો પરિવારો બેઘર બન્યા હતા.
તે સમયે પણ છજીૈંના અધિકારીઓએ સ્થળ પર ટીમ મોકલીને અભ્યાસ હાથ ધર્યો હતો. તૈયાર કરાયેલા અહેવાલમાં એવું માનવામાં આવ્યું હતું કે, આ ભૂસ્ખલન વરસાદ અને પર્યાવરણીય પરિબળોને કારણે થયું છે. બદ્રીનાથ મંદિરના સિંહદ્વારમાં તિરાડ પડવા પાછળ એએસઆઈએ પણ આ જ કારણો જવાબદાર ગણાવ્યા છે. આ સાથે છજીૈંએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને રીપેરીંગની કામગીરી શરૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દેહરાદૂન સર્કલના પુરાતત્વવિદ મનોજ સક્સેનાએ તેને નાની તિરાડ ગણાવી છે. એએસઆઈની ટીમે દિવાલમાં લગાવેલા લોખંડના ક્લેમ્પને બદલવાની કામગીરી શરૂ કરી છે.
તેનાથી પથ્થરના સાંધા મજબૂત થશે. તેવી જ રીતે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે પણ તેને નાની તિરાડ ગણાવી છે. લેન્ડ સ્લાઈડિંગના કારણે આવું થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમારકામનું કામ ચાલી રહ્યું છે અને સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે મંદિરના સિંહ દ્વારનું નિર્માણ મંદિરની રચનાનો ભાગ નથી, પરંતુ તેને અલગથી બનાવવામાં આવ્યું છે. તેથી સિંહ દ્વારમાં પડેલી તિરાડ મંદિરની રચના માટે જાેખમી ન કહી શકાય. તેમણે જણાવ્યું કે સિંહ દ્વારનું માળખું પણ ૧૭મી સદીનું છે અને મંદિર પરિસરનો એક ભાગ છે.
સંરચનામાં કેટલાક દેવી-દેવતાઓની પ્રતિમાઓ અને પ્રતીકો પણ સ્થાપિત છે. બીજી તરફ, એચએનબી ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા એમપીએસ બિષ્ટે કહ્યું કે જાેશીમઠની સ્થિતિ બદ્રીનાથમાં નથી. આનું કારણ એ છે કે બંને અલગ-અલગ ભૌગોલિક રચનાઓ પર સ્થિત છે. તેમણે કહ્યું કે બદ્રીનાથ મંદિરના સિંહ દ્વારમાં તિરાડ પડવા પાછળ કેટલાક સ્થાનિક કારણો હોઈ શકે છે. તેમને જાેશીમઠ સાથે જાેડવું યોગ્ય નથી. એ જ રીતે એએસઆઈના અધિકારીઓએ સ્થળનો સર્વે કર્યા બાદ સિંહ દ્વારમાં લોખંડના ક્લેમ્પ લગાવવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. દિવાલોમાં પાણી ઘુસી જવાથી અને તેની પકડ નબળી થવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું કે લગભગ ૩૦ વર્ષ પહેલા આ દ્વારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી આ સ્થિતિ પહેલીવાર જાેવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે સમારકામના ભાગરૂપે, દ્વારમાં લગાવવામાં આવેલા તમામ પત્થરો બદલવામાં આવ્યા છે, જે તેમની જગ્યાએથી ખસી ગયા છે.
Recent Comments