ભાવનગર

ઉત્તરાખંડમાં બોલેરો કાર અકસ્માતમાં માર્યા ગયેલાને મોરારિબાપુ તરફથી સહાય

દહેરાદૂન નજીકના ચકરાતા ગામ પાસે એક બોલેરો કાર બેકાબૂ બનતા તે 1300 ફીટ ઊંડે ખાઈમાં ધસી ગઇ હતી. આ વાહનમાં જે લોકો સવારી કરતાં હતાં તેમાંથી 13 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં.આ તમામ મૃતકોને સહાય માટે પૂજય મોરારિબાપુ તરફથી પ્રત્યેક માટે પાંચ હજાર પ્રમાણે કુલ રૂપિયા 65 હજારની સહાયતા ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશ માં મોકલવામાં આવશે.મૃતકોના નિર્વાણ માટે પૂજય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.તેમ ચિત્રકૂટ ધામ તલગાજરડા થી જયદેવભાઇ માંકડ દ્વારા જણાવાયું છે.

Related Posts