રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ૧૭૯ કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે
ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે પર ૩૯૯ કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રોડ નેટવર્કને મજબૂત કરવા અને ટ્રાફિક નિયમન સરળ બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ર્નિણય લીધો હતો. રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઈવે પરની બનાસ નદી પર અને મહેસાણા-હિંમતનગર ફોર લેન હાઈવે પર બ્રિજ બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે ૫૫ પર ૩૯૯ કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ૧૭૯ કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે.
મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે ૨૨૦ કરોડના ખર્ચે નવો ૬ લેન બ્રિજ બનશે. વધતા જતા ટ્રાફિકને કંન્ટ્રોલ કરવા માટે આ ર્નિણય લેવાયો છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ સ્ટેટ હાઇવે-૫૫ ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ૧૭૯ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જાેડતા આ અગત્યના હાઇવે પર બનાસ નદી પર હાલમાં રહેલો પુલ ૧૯૬૫ના વર્ષમાં એટલે કે ૫૯ વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-૫૫ ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે ૨૨૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જાેડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે ૧૯૬૬માં એટલે કે ૫૮ વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.
Recent Comments